છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે તારીખ ૯ એપ્રિલના દિવસે ઉમર શહીદ બાવાના ઉર્સે મુબારક ઉજવાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દર વખતે આ ઉર્સ ના સમયે ત્યાં મોટા પાયા પર આજુબાજુના ગામ જનો તથા જબુગામ સહિતના લોકો માટે ન્યાઝ નો આયોજન કરવામાં આવે છે પરંતુ હાલ રમજાન મહિનો હોવાથી રોઝાના કારણે એ આયોજન ની જગ્યાએ ત્યાં ઇફ્તાર પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું જ્યાં સૈયદ ઈરફાન અલીબાબા દ્વારા ફાતેહા પઢી દુઆ કરવામાં આવી દરગાહ શરીફ પર શ્રદ્ધાળુઓ દ્વારા સંદલ લગાડી અને ચાદર ચઢાવવામાં આવી અને સાથે સાથે માસુમ અલીબાબા ની દરગાહ પર પણ આ જ દિવસે સંદલ અને ચાદર ચઢાવવામાં આવી.
આ બંને દરગાહ ખૂબ જ ઐતિહાસિક છે અને ત્યાં અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ખૂબ જ માનતા સાથે આવતા હોય છે અને ત્યાં હિન્દુ મુસ્લિમ અનેક લોકોની શ્રદ્ધાઓ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here