શહેરા તાલુકાના નાડા ગામે તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માર્ગદર્શન મુજબ પંચમહાલ જીલ્લા શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ નાડા ગામ મુકામે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતમા યોજવામા આવ્યો હતો. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી શહેરા વિધાનસભાના નિરીક્ષક દુષ્યંતસિંહ ચૌહાણ અને સ્થાનિક કિસાન આગેવાન ભલાભાઈ પગી એ સંબોધિત કરી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની પ્રજા વિરોધી નીતિ રીતીનો ભારે વિરોધ દર્શાવીને જણાવ્યુ હતુ કે દેશ ની લોકશાહી ગંભીર પરિસ્થિતિમાં છે.વધુમાં જણાવ્યુ હતુ. વિવિધ ક્ષેત્રે મોદી અદાણી વચ્ચે ના સબંધો ના કારણે દેશને થઈ રહેલા નુકસાનના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ ભવન અને સંસદ ભવન બહાર સવાલો ઉઠાવી રહ્યા છે. જેથી કોંગ્રેસ નેતા નો અવાજ બંધ કરવા અને આગામી લોકસભા ચૂંટણી ને લઈ ભા.જ.પા ચિતીત છે જેથી રાહુલ ગાંધી નુ સંસદ સભ્ય પદ રદ કરી ગેરલાયક ઠેરવેલા છે જે દુઃખદ બાબત છે. કોંગ્રેસ અન્યાય કરતી બાબતોને લઈને પ્રજા સમક્ષ લઈ જઈ આંદોલનાત્મક કાર્યક્રમ અપનાવશે અને દેશની જનતાનું સમર્થન મેળવશે.કાર્યક્રમમા પંચાયત વિપક્ષ નેતા જે.બી.સોલંકી યુવા આગેવાન રાહુલભાઈ પગી સહિત અન્ય આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યા મા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here