પંચમહાલ જિલ્લામાં ગોધરાના ૨૨ અને હાલોલના ૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં છૂટછાટો અપાઈ…

ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા

પંચમહાલ જિલ્લામાં ગોધરાના ૨૨ અને હાલોલના ૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં છૂટછાટો અપાઈ. કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ૮.૦૦ થી ૩.૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો, એકમો, સંસ્થાઓ (સરકારશ્રી દ્વારા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે સિવાયના)શરતોને આધીન ખુલ્લા રહી શકશે. આ દુકાનો, એકમો સવારે ૦૮.૦૦ કલાકથી ૦૪.૦૦ કલાક દરમિયાન કાર્યરત રહી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here