ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંકલ્પપત્ર વિતરણ કરાયા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

અવસર છે લોકશાહીનો, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લાના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેના અનુસંધાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંકલ્પપત્ર વિતરણ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here