કાલોલમાં ચુંટણીનાં જંગનાં પ્રચારમાં ધારાસભ્ય સુમનબેને કોંગ્રેસ અને આપ ઉપર કર્યા વાકબાણ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ ની પ્રચાર સભામાં ડેરોલ સ્ટેશન લીમડા ચોક ખાતે કાલોલ નાં વર્તમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાણ હાજર રહ્યા હતા કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, સંગઠન પ્રમુખ નરેદ્રસિહ ગોહીલ, પિંગળી બેઠક નાં જીલ્લા પંચાયત નાં પ્રવીણસિંહ ચોહાણ, ઘોઘંબા નાં જયપાલસિંહ રાઠોડ હાજર હતા પોતાના સંબોધન માં ધારાસભ્ય સુમનબેન ચૌહાણે ડેરોલ નાં સળગતા પ્રશ્ન ઓવરબ્રિજ બાબતે જણાવ્યુ કે બ્રીજ નું કામ મે પુર્ણ કરી દીધેલ છે અને ટુક સમયમાં ચાલુ થશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરી જણાવ્યુ કે તમારા શાસન માં રસ્તા, લાઈટ, હોસ્પીટલ નહોતી આજે બધુ જ છે તેઓએ નામ લીધા વિના જણાવ્યુ કે,”ગદારોને જવાબ આપી દેજો જે લોહીના નથી થયા તે કોઈના નહિ થાય” સુમનબેન નાં આ વાક્ય ને મંચસ્થ તમામ નેતાઓએ વધાવી લઈ તાળી પાડી હતી. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ના સસરા અને પુર્વ મંત્રી અને પુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ટિકિટ નહિ મળવાથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હાલ કોંગ્રેસ તરફથી કાલોલ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારે આ બેઠક ઉપર નો ચુંટણી જંગ પારિવારીક સંબધો નાં અસ્તીત્વ નો જંગ બની રહેશે. ધારાસભ્ય દ્વારા પોતાને જે લીડ આપી હતી તેથી વધુ મતો ની લીડ થી ફતેસિંહ ચૌહાણ ને જીતાડી લાવવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here