ગોધરા સરકીટ હાઉસ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકજનશક્તિપાર્ટીની બેઠકમા હોદ્દેદારોને નિમણુકપત્રો આપવામાં આવ્યા

ગોધરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના ગોધરા સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજનશક્તિપાર્ટીની જીલ્લા સંગઠનની એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં વિવિધ હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી.જીલ્લામાં પાર્ટીનુ સંગઠન મજબુત બનાવા કામે લાગી જવાની હાકલ કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લામાં આવનારી ૨૦૨૨ની વિધાનસભાનીચુટણીને લઈને પાર્ટીનો વ્યાપ વધે તે હેતુથી ગોધરા સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજનશક્તિપાર્ટીના સંગઠનની એક બેઠક મળી હતી.પાર્ટીના પંચમહાલ જીલ્લા અધ્યક્ષ સુરેશભાઈ પરમારના અધ્યક્ષ પણા હેઠળ યોજાયેલી આ બેઠકમાં હાજર સંગઠનના હોદ્દેદારોનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ સમગ્ર બેઠકનુ સંચાલન અધ્યક્ષ સુરેશભાઈ પરમાર દ્વારા કરવામા આવ્યુ હતુ.બેઠકમાં જીલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી. જેમા જીલ્લા મહામંત્રીખલીલભાઈ કાપડીયા, સંગઠનમંત્રી ઈમરાનભાઈ હાજી,જીલ્લા મંત્રી દલપતસિંહ પટેલ,જીલ્લા સહમંત્રી વિનોદભાઈ વણઝારા, જીલ્લા ઉપપ્રમુખ બાલમુકુંદ મિશ્રા,ગોધરા શહેર પ્રમુખ રાજેશભાઈ શાહ, જીલ્લા મહિલા પ્રમુખ રાધાબેન જૈન, જીલ્લા મહિલા મહામંત્રી પુજાબેન મિશ્રા, ગોધરા શહેર મહિલા મંત્રી ઉર્વશીબેન સોની સહીતના હોદ્દેદારોને જીલ્લા અધ્યક્ષ દ્વારા નિમણુકપત્ર આપવામા આવ્યા હતા.તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.બેઠકની આભારવિધી જીલ્લામંત્રી દલપતભાઈ પટેલ દ્વારા કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here