ગોધરા, (પંચમહાલ) ખાલીદ દાવ :-
આજ રોજ પંચમહાલ જિલ્લાની નામાંકીત શાળા ધી ઇકબાલ યુનિયન હાઇસ્કૂલના શિક્ષકોએ ગુજરાત શિક્ષક સંઘના આદેશ અનુસાર પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આચાર્ય શ્રી સાદિક શેખ સાહેબના નેતૃત્વ નીચે થાળ વગાડી વિરોધ નોંધાવ્યો હતો….ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી વખતે જે વચનો આપી પરિપત્રો કર્યા હતા પરંતુ આજ દી સુધી ગુજરાત શિક્ષક સંઘની જે વ્યાજબી માંગણીઓ હતી તેનું નિરાકરણ ન લાવતા શિક્ષક જગતમાં રોષ ની લાગણી ફેલાઇ ગઇ હતી..