ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અધિક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) અનસ દાવલા :-

ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામ મા છેલ્લા ડોઢ મહિના થી વિજ પુરવઠો બંધ છે ચોમાસા ની ઋતુ અને વિજળી ન હોવાથી ગ્રામજનો ને રાત્રે અંધારામાં સરીસૃપ અને ઝેરી જનાવર કરડી જવા નો ભય સતાવી રહ્યો છે જ્યારે પશુ પાલકો પશુ ઓ ને પાણી પીવડાવ્વા માટે દુર તળાવ સુધી જવુ પડે છે પશુ ઓ ને સમય પર પાણી ન મળતા પશુધન ના આરોગ્ય અને દુધ પર અસર પડી છે જ્યારે ખેડૂતો ને ડાંગર ના ધરૂ અને ખેતી પાણી ન હોવાથી સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વારંમવાર મોખિક અને ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો વિજ કચેરી એ પહોંચી વહેલી તકે વિજ પુરવઠો શરૂ થાય તેવી માંગણી સાથે અધિક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો વિજ પુરવઠો સમયસર શરૂ કરવામાં નહી આવે તો કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા મા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here