ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાં 24મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રીમતિ મનિષાબેન વકીલ દ્વારા દિકરીઓ સાથે વર્ચ્યુઅલ પરિસંવાદ અને પ્રતીજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જિલ્લામાંથી કુલ 12 દિકરીઓએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગોધરાની 07, શહેરાની 05, કાલોલની 04, હાલોલની 06, મોરવા હડફની 03, ઘોઘંબાની 02 અને જાંબુઘોડાની 02 એમ કુલ 29 લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજનાનાં લાભ માટે મંજૂરી આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે કુલ 14 નવજાત બાળકીઓને વધામણા કીટ આપવામાં આવી હતી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.