ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર તથા તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(એ) પેટા કલમ-૧ અને ૧૨૬-(૧)(બી) હેઠળ પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે.