કાલોલ મામલતદાર કચેરી ખાતેથી અવસર રથનું ચૂંટણી અધિકારી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કાલોલ ૧૨૭ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી અમિતાબેન પારગી દ્વારા અવસર લોકશાહી કેમ્પેઇન અંતર્ગત મતદાર નોંધણી અને મતદાન નું પ્રમાણ વધે તેવા હેતુથી વિધાનસભા મતવિસ્તારમાં જે મતદાન કેન્દ્રોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ઉપર અવસર રથ ફેરવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત રવિવારે કાલોલ મામલતદાર કચેરી ખાતેથી અવસર રથને લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રવિવારના રોજ કાલોલ વિધાનસભાના 11 જેટલા વિસ્તારમાં અવસર રથ ફરશે જેમાં ચૂંટણીના કામમાં રોકાયેલા સી.આર.સી અધિકારીઓ હાજર રહ્યા હતા. અવસર રથ જે મતદાન કેન્દ્ર ઉપર રોકાશે તે મતદાન કેન્દ્ર ઉપર બીએલઓ, તલાટી કમ મંત્રી, સામાજિક કાર્યકરો ,આંગણવાડી કાર્યકર સરપંચ, વીસીઈ ઓપરેટર, મધ્યાંહન ભોજન ના સંચાલક ,સરકારી દુકાનદા સંચાલક નો સંપર્ક કરી રથ ની બહોળી પ્રસિદ્ધિ કરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here