કાલોલ પોલીસ સ્ટેશનના મર્ડર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

કાલોલ,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ સાહેબનાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , કાલોલ પો.સ્ટે.ગુ.ર.નં .૧૧૨૦૭૦૩૬૨૨૦૨૦૦ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨,૨૦૧,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી લાલો ઉર્ફે ટીકો જશુભાઇ નાયક રહે . વરવાડા સુંઢળ ફળીયુ તા.કાલોલ નાનો હાલમાં મલાવ ચોકડી પાસે ઉભેલ છે તેવી મળેલ બાતમી આધારે , શ્રી આઈ.એ.સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો મલાવ ચોકડી પાસે જઇ આરોપીની ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો લાલો ઉર્ફે ટીકો જશુભાઇ નાયક રહે . વરવાડા સુંઢળ ફળીયુ તા.કાલોલ નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવા કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here