કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામ ના દુધવા ફળિયામાં રહેતી ૧૭ વર્ષીય સગીરા મનીષાબેન રતનસિંહ નાયક ગત તા ૧૨/૦૩/૨૩ નાં રાત્રી નાં ૧૦ કલાક થી પોતાના ધરે જોવા મળેલ નહી જેથી તેની તપાસ શોધખોળ કરતા તા
૧૬/૦૩/૨૩ નાં રોજ સવારના ૮ કલાકે રાયાણીયા ગામની સીમ ના કુવામાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે વેજલપુર પોલીસે રતનસિંહ કેસરભાઈ નાયક ની જાહેરાત મુજબ સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ જાણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.