કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ ની પ્રાચીન વસુધૈવ કુટુંબકમ ની ભાવનાથી હિંદુ વિચાર ની પરંપરા સર્વશ્રેષ્ઠ શિખર પર સ્થાપિત છે તેવા ભારત માતાના સંતાનો સૌ એક છે એક પરિવારજનો જ છે સમાજમાં સૌ એકબીજાની નજીક આવે બીજા પ્રત્યે સ્નેહ નો આત્મીયતાના સંબંધ બંધાય જેના થકી સમાજનું અને દેશનું ઘડતર થાય અને દેશની એકતા મજબૂત થાય એ તો તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાતોલ ગામ ના હરસિધ્ધિ મંદિર ખાતે સામાજિક સમરસતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ માં ગાયત્રી પરિવાર ના સભ્યો સહિત કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સામાજિક કાર્યકર સતિષભાઈ શાહ ,કાતોલ ગ્રામ પંચાયતના સભ્યો વિશ્વ હિન્દુ પરિષદના શંભુભાઈ શુકલ ,વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય, અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.