કાલોલ કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે અહમદ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ તારીખ ૨૫-૧૧-૨૦૨૩ને શનિવાર ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા સ્વ. અહમદ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ નો કાર્યક્રમ કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે રાખવામાં આવેલ. આજના કાર્યક્રમ માં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પ્રદેશ ડેલીગેટ રાજેન્દ્રસિંહ જાદવ, દિલીપસિંહ ચૌહાણ, જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ ઠાકોર,શહેર કોંગ્રેસ ના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના ના મહામંત્રી કિરણભાઈ પરમાર, ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ ના એસ. સી. સેલના પ્રમુખ રાજુભાઈ પરમાર તેમજ આગેવાનો ચંદ્રસિંહ સોલંકી,લક્ષ્મણસિંહ ચૌહાણ, ખ્રિસ્તી સાહેબ, શખાવતભાઈ, અકરમભાઈ અને કાર્યકરો હાજર રહ્યા. કાર્યક્રમ માં હાજર રહેલ તમામનો તાલુકા કોંગ્રેસ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here