છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામમાં થાણા ફળિયામાં રહેતી અને ધોરણ 5 માં અભ્યાસ કરતી રાધાબેન ભુરસિંગભાઈ રાઠવા ઉ વર્ષ 18નું તા 24/11/23 ના 3:00થી 5:00 વાગ્યાના સમયની વચ્ચે અચાનક મોત નીપજ્યું હતું. સદર બાબતે કિશોરીના પિતા ભુરસિંગભાઈ રાવલાભાઈ રાઠવાએ ઝોઝ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનેલ ઘટના સંદર્ભે કિશોરીના પિતા એ જણાવ્યું હતું કે ગળાના ભાગે નિશાન હોય જેથી શંકાસ્પદ બનાવ હોય તેમ લાગી રહ્યું છે. સદર બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર તાલુકાના થાણા ફળિયામાં રહેતી અને ઝોઝ ગામની રાધા 23/11/2023 ના રોજ રાત્રીના 8:00 વાગ્યાના સમયે તેના માતાપિતા તથા બહેનો સાથે થાણા ફળિયામાં ઝાયણી (ભજન) માં ગયા હતા. અને તા 24/11/2023ના રોજ રાત્રીના 3 વાગ્યાના ભજન મંડપ માંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. જેની લાશ તેના ઘરની અડાળીમાં ખાટલા પાસે મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે પોલીસે સી આર પી સી કલમ 174 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કિશોરીના પિતા ભુરસિંગભાઈ રાવલભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારી પુત્રી ઉપર માટી લાગેલી હતી. તથા ગળા ઉપર ગળા ઉપર ગળું દબાવ્યું હોય તેના નિશાન જણાતા હતા. અને મોઢા ઉપર ફિણ આવી ગયું હતું. સદર બાબતે પોલીસ ફરિયાદ કરી છે. તેમ જણાવ્યું હતું.