કવાંટ તાલુકાના સોડવાણી ગામે રામદેવ પીર મંદિરના પવિત્ર પટાંગણમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોચી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

ગતરોજ 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના સોડવાણી ગામે રામદેવ પીર મંદિરના પવિત્ર પટાંગણમાં અને શંકર ગીરી મહા રાજના સાનિધ્યમાં ગુજરાત સરકાર દ્વારા મોદી સરકારની ગેરંટી આપણો સંકલ્પ વિકસિત ભારત રથયાત્રા પહોચી હતી જેમાં છેવાળા અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતનો પોહચી શકે અને લાભ કઈ રીતે લેવાય એ બાબતની માહિતી આપતા 138 જેતપુર પાવી વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ સવજીભાઈ રાઠવા સાહેબ તેમજ કવાટ તાલુકા પંચાયતના એ . ટી ડીઓ શ્રી માલીવાડ સાહેબ શ્રી તેમજ કવાંટ તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન શ્રી શનિયા ભાઈ ભીલ તેમજ પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાળુભાઈ તેમજ સોઢ વાણી રામજી મંદિરના મહારાજ શ્રી શંકર ગીરી તેમજ સ્થાનિક આગેવાન શ્રી ઓ તેમજ કાર્યકર્તાઓને આજુબાજુના ગામમાંથી પધારેલ યુવા કાર્યકર્તાઓ અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here