કરછ, આરીફ દીવાન(મોરબી) :-
શ્રી આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપુત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, ન્હાવા તથા મેડીકલ સુવિધા તેમજ પ્રસાદભોજનની વ્યવસ્થા કરેલ છે. તો માતાના મઢ જતા પદયાત્રીઓ તથા સેવાભાવી સંઘોને આ સેવા કેમ્પમાં આરામ કરવા તથા પ્રસાદ લેવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ કોટડા નાયાણી સમસ્ત રાજપુત સમાજ પાઠવે છે.
કેમ્પ તારીખ. :- 23-09-2021 થી 27-09-2021 કેમ્પનું સ્થળ ઃ- માધવ હોટલના ગ્રાઉન્ડમાં રાજકોટ થી 20 કિ.મી.મોરબી રોડ પર કોટડા નાયાણી ના પાટીયે કોન્ટેક નંબર :- 98255 00909
કોટડા નાયાણી રાજપુત સમાજ દ્વારા એક યાદી માં જણાવ્યું છે.