એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદીવાસીઓ એ કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

મણિપુર ને રમખાણો થી બચાવવા અને ન્યાય માટે ની આદીવાસીઓ ની માંગ

નર્મદા જીલ્લા ના આદીવાસીઓ માં મણીપુર ખાતે આદીવાસીઓ ઉપર થતાં અત્યાચાર સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહયા છે આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના એકતાનગર ખાતે આદિવાસી સમાજ ના આગેવાનો રણજીત તડવી, દક્ષાબેન તડવી, સહિત ના આગેવાનો એ કેન્ડલ માર્ચ કાઢી મૌન ધારણ કરી આંબેડકર ચોક પહોચી આમ્બેડકર પ્રતિમા પાસે મૌન પાડી મણીપુર ના મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પી હતી . મણિપુર રાજ્ય માં આદિવાસી સમાજ ની દિકરીઓ પર થયેલા અમાનવીય કૃત્ય ના પડઘા નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની એકતાનગર ખાતે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here