ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-
આમ આદમી પાર્ટી રાષ્ટ્ર વિરોધી વિચારધારા અને કાર્ય પદ્ધતિ ધરાવતી હોવાનો આરોપ
વિધાનસભા ની ચુંટણી તા 1 લી ડિસેમ્બર ના રોજ યોજાનાર છે, નર્મદા જીલ્લા માં ઉમેદવારી ફોર્મ ભરવા ની પ્રક્રીયા ચાલી રહી છે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 14 ની ડિસેમ્બર છે ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જીલ્લા ના ગરૂડેશ્વર તાલુકાના પ્રમુખને નાંદોદ 148 વિધાનસભા ના સંગઠન મંત્રી એ રાજીનામુ ધરી દેતા આમ આદમી પાર્ટી ને ભારે ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકા ના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને વિધાનસભા બેઠક ના સંગઠન મંત્રી અતુલભાઈ એન. તડવી એ નર્મદા જીલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહીલ ને પોતાના રાજીનામા નો પત્ર પાઠવી હલચલ મચાવી છે, રાજીનામા ના પત્ર માં તેઓએ ગંભીર આરોપ લગાવ્યો છે અને જણાવ્યુ છે કે આમ આદમી પાર્ટી ની રાષ્ટ્ર વિરોધી વિચારધારા અને કાર્ય પદ્ધતિ થી પોતે અસંતુષ્ટ છે , ભાગલાવાદી વિચારધારા અને ખોટી કાર્ય પદ્ધતિ થી નારાજ થઈ પોતે રાજીનામુ આપ્યું હોવાનું પત્ર મા જણાવ્યુ હતું.