દે.બારીયા, (દાહોદ) મોહન બારીયા :-
“નવભારત નિર્માણ” અને “આત્મનિર્ભર ભારત” ના પાવન ધ્યેય સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજે દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ સહભાગી થયા હતા અને ઉપસ્થિત નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો..