દેવગઢ બારીયા, (દાહોદ) મોહન બારીયા :-
દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરી છેવાડાના બાળકોને મા સરસ્વતીનું જ્ઞાન મળી રહે તે હેતુને સિદ્ધ કરવા દુધિયા પ્રાથમિક શાળા ખાતે ૯ નવીન વર્ગખંડ તથા દેવગઢ બારીયા તાલુકાની અન્ય ૨૦ શાળાના નવીન વર્ગખંડોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં દેવગઢ બારીયા તાલુકાને કુલ ૭.૩૬ કરોડના નવીન ઓરડાઓ થકી શૈક્ષણિક સુવિધામાં વધારો થશે.જેના થકી ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને સારી સુવિધા માટે માન્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ જે રીતે કહેતા હતા એ કામ પરિપૂર્ણ કરવા બદલ દેવગઢ બારીયા તાલુકાના લોકોએ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.