હાલોલ : આમ આદમી પાર્ટીના કાર્યકરોને નજર કેદ કરતી પોલીસ…

હાલોલ,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

મળતી માહિતી મુજબ ગતરોજ પાવાગઢ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને કોઈ વિરોધ વંટોળાના ઘેરાય અને કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકરો વડાપ્રધાન નો વિરોધ ના કરે જે બાબતને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને નજર કેદ કરવામાં આવ્યા હતા.

માટે પોલીસની આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બળાપો કાઢી જણાવ્યું હતું કે, ભરત રાઠવા ને ઘરપર જ નજર કેદ કર્યા હતા ભાજપ સરકાર આમ આદમી પાર્ટી થી ગભરાય ગય.છે કે ઘરે પણ વહેલી સવાર થી જ પોલીસ મોકલી ને ઘરની બહાર ન નીકળવા નજરકેદ કરી રાખ્યા .હતા તેમજ ભાજપ સરકાર આમ આદમી પાર્ટી થી એટલી બધી ભયભીત થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર અર્જુનસિંહ બારીયા તેમજ પ્રવિણભાઇ રાઠવા ને ઘોઘંબા તાલુકા પોલીસ દ્વારા નજરકેદ કરાવવામાં મજબુર થવું પડે એ ભાજપ સરકાર ની ખોખલી નીતિ અને અને નિષ્ફળતા છે એ સ્પષ્ટ થાય છે : અર્જુનસિંહ બારીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here