આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-
રક્તદાન જાગૃતિ માટે સમગ્ર દેશમાં સાયકલ યાત્રાનો પ્રારંભ કલકત્તાથી,ઝારખંડ,બિહાર,યુ.પી,દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, તથા ગુજરાત રાજયોનો કુલ 9000 કી.મી.નો સાયકલ પ્રવાસ કરી સૌરાષ્ટ્રના ધંધુકા મુકામેથી નિકળી જયદેવભાઈ રાઉત આજ રોજ તારાપુર મુકામે પહોંચતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા બ્રાન્ચ, શ્રીમતી હંસાબેન હીરા લાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેન્ટર દ્વારા ડો.આકાશ, ડો.બૈસ સાહેબ નિપુલ ભાઈ, ગીરીશભાઈ એ ગુલદસ્તો અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું.અને સામાજિક કાર્યકર અને ઈ.બી.ડી.ગ્રુપ ના સભ્ય એ શુભેચ્છા મુલાકાત કરી રક્તદાન વિષે ચર્ચા કરી. દેશના અન્ય રાજ્યોને મા અંદાજે ૨૫૦૦૦ કિ.મી.નું અંતર પુરૂ કરવાનુ તેઓનું આયોજન છે. ભગવાન તેઓને તેમના સાયકલ યાત્રા દરમ્યાન તંદુરસ્ત રાખે અને હેમ-ખેમ યાત્રા પૂર્ણ કરે અને રક્તદાન વિષે જાગ્રુતતા લાવે. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા પરિવાર તરફથી દિલી શુભેચ્છાઓ…