સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિધ્ધપુરમાં સેવા સમર્પણની ભાવનાથી કાર્યરત સામાજીક સેવા સંસ્થા એચ.વી. સંસ્કાર કેન્દ્રના સ્થાપક સદસ્ય અને જીવનપર્યંત સેવાક્ષેત્રે અગ્રેસર રહેતા સ્વ. નવિનભાઈ ઠાકરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીત્તે સંસ્થા દ્વારા આજ રોજ તા. ૩ ઓકટોબર ને રવિવારના રોજ સિધ્ધપુર જનરલ હોસ્પિટલ બ્લ્ડબેન્કની સહાયતાથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિધ્ધપુરના યુવાનોએ ભારે ઉત્સાહથી રકતદાન કર્યુ હતું અને ૭૫ જેટલા યુનીટ રકતદાન મળ્યુ હતુ.
કાર્યક્રમને સફળ બનાવવા એચ.વી. સંસ્કાર કેન્દ્રના સદસ્યો અને શુભેચ્છકોએ ખૂબજ સરાહનીય કામગીરી કરી સ્વ. નવિનભાઈને સેવાકાર્ય દ્વારા યાદગાર શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.
આ પ્રસંગે એચ.વી. પરિવારના શિવરામભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ ભટ્ટ, ઉપેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ વૈધ, ભરતભાઈ ભટ્ટ, હરેશભાઈ, દુષ્યંતભાઈ ઠાકર, નિરંજનભાઈ ઠાકર, જશવંતભાઈ મેવાડા, હેમંત જોષી, કપિલ પાધ્યા, જીતેન્દ્ર પ્રજાપતિ, કૌશલ જોષી, શંભુભાઈ ઠાકર, ડી.યુ. ઠાકર સહિતના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.