છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
છોટાઉદેપુર જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ડો.કુબેરભાઈ ડીંડોર કેબીનેટ મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક, અને પ્રૌઢ શિક્ષણ વિભાગની ઉપસ્થિતિમાં ઈએમઆરએસ સ્કુલ, કવાંટ ખાતે કરાઈ હતી. જીલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણીમાં અન્ય મહાનુભાવોમાં જીલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ, સાંસદસભ્ય શ્રીગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના કલેકટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, પદ્મશ્રી પરેશ રાઠવા, જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાનો અધિકારીગણ, ગ્રામજનો વિદ્યાર્થી આલમ ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે ૭૭માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરી હતી. સવારે ૯ કલાકે ઈએમઆરએસના ગ્રાઉન્ડમાં ખુશનુમા વતાવરણ અને આછો તડકો હોવાથી વારસાદના વિઘ્નવિના સંસ્કૃતિક કાર્યક્રમની અને ધ્વજવંદન થઈ શક્યું હતું.
માનનીય ડો.કુબેરભાઈ ડીડોરે ધ્વજવંદન કરી, પોતાના વક્તવ્યમાં ગુજરાતની યશગાથા વર્ણવી આપણા મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ જણાવ્યું હતું કે ગુજરાત એટલે સૌજન્ય શુરવીરો અને સાહિત્યકારોની ભૂમિ, ગુજરાત એટલે વંચિતોનો વિકાસ, શિક્ષણનો સાગર, આરોગ્યમાં અગ્રેસર, નવા રસ્તાઓ તથા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ગરવું ગુજરાત. ગુજરાત સસ્કારે આદિવાસી વિસ્તરોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત શિક્ષણમંત્રીશ્રીએ છોટાઉદેપુર જીલ્લામાં રાજ્ય સરકારે કરેલી ઉપલબ્ધિઓની ઝાંખી કરાવી હતી જેમાં મુખ્યત્વે આદિજાતિ વિભાગની ઉપલબ્ધિઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ ક્ષેત્રે લીધેલા પગલા, જીલ્લામાં આયોજનમાં લીધેલ કામોનો આંકડાકીય ચિતાર રજુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું છે જેમાં આપણા નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી- અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા છે.
આ કાર્યક્રમમાં કેબીનેટમંત્રીશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ડોકુબેરભાઈ ડીડોરના હસ્તે વિકાસલક્ષી કાર્યો અર્થે ક્વાંટ ટીડીઓશ્રીને 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં હાફેશ્વરની જવાહર નવોદય વિદ્યાલય તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ સ્ટાફની બહેનો દ્વારા ગરબો રજુ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જીલ્લા વહીવટી તંત્રના આધિકારીઓ, કર્મચારીઓ અને જીલ્લાના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન બાદ મહાનુભાવો દ્વારા
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી ગીતાબેન રાઠવા, જેતપુર ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડાશ્રી ઈમ્તિહાસ શૈખ, અધિક નિવાસી કલેક્ટરશ્રી કે.ડી ભગત, વિવિધ અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને ગ્રામજનોનો સલામી, સંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણમાં ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય શિક્ષણ મંત્રીશ્રીના પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે છોટાઉદેપુર જીલ્લામાં થયેલા કાર્યોની ઝાંખી:
88 એકલવ્ય મોડલ રેસિડેન્સિપલ શાળા, જે પૈકી 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળા, 12 મોડેલ શાળાઓ અને 2 સૈનિક શાળાઓમાં 33 હજાર વિદ્યાર્થીઓને મળી રહી છે ગુણવત્તાસભર શિક્ષણની સવલત 661 જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના 1,35,000 વિદ્યાર્થીઓને રહેવા, જમવા, અને અભ્યાસની સુવિધા પુરી પાડવા રુ.374 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે 15,000 જેટલી વિદ્યાર્થીઓને રહેવા, જમવા, અને શિક્ષણ માટે વર્ષ .
2023-24 માટે રુ.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
છોટાઉદેપુર જીલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત 117 પ્રાથમિક શાળા માં 431 ઓરડા મંજૂર થયેલ છે તે પૈકી 49 પ્રાથમિક શાળા માં 214 ઓરડા ના વર્ક ઓર્ડર મળેલ છે. બાકી રહેતી 68 પ્રાથમિક શાળાના 217 ઓરડા ઓ ટેન્ડર પ્રોસેસ માં છે. છોટાઉદેપુર જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 52 પ્રાથમિક શાળા માં અપગ્રેડેશનની કામગીરી મંજૂર થયેલ છે. છોટાઉદપુર જીલ્લામાં 157 પ્રાથમિક શાળા માં બોયસ ટોઇલેટ બ્લોક અને 149 પ્રાથમિક શાળામાં ગર્લ્સ ટોઇલેટ બ્લોકનું કામ મંજૂર થયેલ છે.
સમગ્ર શિક્ષા અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં હરપાલપુરા ખાતે (200 કન્યાઓ માટે) કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (કે, જી.બી.વી.) બનાવવાનું કામ મંજૂર થયેલ છે.
છોટાઉદેપુર જીલ્લામાં 63 પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ મંજૂર થયેલ છે. છોટાઉદેપુર જીલ્લામાં 119 પ્રાથમિક શાળામાં ઓરડા રિપેરિંગનું કામ મંજૂર થયેલ છે.