સિદ્ધપુરના તેજાનંદ સેના દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

આજ રોજ ૭૫ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તેજાનંદ સેનાસિદ્ધપુર તાલુકા દ્વારા પર્યાવરણની વૃદ્ધિ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે *શ્રી સદારામ બાપુ આશ્રમ રામજીમંદિર,સિદ્ધપુર* ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ જેમા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી તેની જાળવણી તેમજ ઉછેર ની જવાબદારી સ્વીકારી હતી .આ કાર્યક્રમમાં તેજાનંદ સેના પ્રદેશ કારોબારી સભ્ય દીપકભાઈ શ્રીમાળી પાટણ જિલ્લા કારોબારી સભ્ય શ્રી સોમચંદભાઈ જોષીસામાજિક કાર્યકર સુખદેવભાઈ સાધુ,મોતીભાઈ શ્રીમાળી,જયેશભાઈ શ્રીમાળી તેજાનંદ સેના સિદ્ધપુર તાલુકા અધ્યક્ષ કૌશિક પંડ્યા મહામંત્રી પંકજભાઈ શ્રીમાળી સહ સંગઠન મંત્રી દિનેશભાઈ સાધુ,ભરતભાઈ સાધુ, પ્રકાશભાઈ જોષી તેમજ જગ્યાના સાધ્વી માતા વગેરે હાજરી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here