પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પાવાગઢ પરિક્રમા માર્ગ, ટુવાકુંડ સાઈટ, કનેલાવ તળાવના વિકાસ સહિતના કાર્યોમાં પ્રગતિની માહિતી મેળવી

પંચમહાલ જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઈ હતી. બેઠકમાં પાવાગઢ પરિક્રમાના માર્ગ માટે વોક-વે, પાથ-વે સહિતની આવશ્યક સુવિધાઓ, પાવાગઢ મંદિર અને ડુંગરના માર્ગો પર સાઈનેજીસ સહિતના કામો વિશે વિગતો મેળવતા પ્રાથમિક મંજૂરી સાથે જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. પંચમહોત્સવની સાઈટ અને વિવિધ સ્થાપત્યોના વિકાસની યોજના બાબતે, ટુવાકુંડ સાઈટના વિકાસ, સંચાલન, મરામતના ફેઝ-૦૨ પ્રપોઝલના કામો વિશે વિગતો મેળવી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, ગોધરાના કનેલાવ તળાવના બ્યુટીફિકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્લાન વિશે માહિતી માંગી પ્રોજેક્ટને ઝડપી બનાવવા સૂચના આપી હતી. બેઠકમાં નાયબ વનસંરક્ષકશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન (પંચાયત અને સ્ટેટ), ટુરિઝમ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here