શહેરા તાલુકાના અણીયાદ ગામે અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદ ગામે આવેલ રોડ ઉપરથી ગામના જ ૩૫ વર્ષીય સોમાભાઈ નરવતભાઈ રાઠોડ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સોમાભાઈને અડફેટે લેતા સોમાભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વડોદરા ખાતે આવેલ એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here