સિદ્ધપુર(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદી વિષય પર ઓન લાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ ઓનલાઈન આવેલ કૃત્તિઓનું જજીંગ કરાવવામાં આવેલ હતું. જેમાં રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ૨૦ શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરાઈ હતી.આ સ્પર્ધા માં સિદ્ધપુર ના સેદ્રાણા ના ચિત્રકાર અહમદ અબ્બાસ ઈબ્રાહીમ બાલવાની આઝાદી કૃતિ પ્રથમ ક્રમે આવી હતી.અબ્બાસને ગુજરાત રાજ્ય લલિતકલા એકાદમી કચેરી દ્વારા ૧૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવેલ છે.