મોડાસા ઓલમાયે એહેલે સુન્નત મૌલાના હાફીજો દ્વારા મુફતી સલમાન અજહરી સાબને પાસા હેઠળથી મુક્ત કરવા બાબતે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મુસ્લિમ સમાજના જાણીતા ધર્મગુરુ તેવો હર હંમેશ મુસ્લિમ ધાર્મિક પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા હોય છે

મુફતી સલમાન અજહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જુનાગઢ. કચ્છ. અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી

મુફતીસાબને તેમના મુંબઈ સ્થિત ઘરેથી ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી

પોલીસ વિભાગ દ્વારા ત્રણ જુદી જુદી એફઆઇઆરની કાર્યવાહીમાં નામદાર કોર્ટે સમય અંતરે જામીન પર મુક્ત કર્યા હતા.

પરંતુ મુફતી સલમાન અઝહરી સાબને સાબરમતી જેલ ખાતે હોઈ તેઓ ઉપર જુનાગઢ કલેક્ટર દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાતા તેઓને બરોડા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા

જેને લઇ તેઓને મુક્ત કરાવવા માટે મોડાસાના ઉલમાંઓ સાથે મોડાસા નગરપાલિકા કોર્પોરેટર લાલાભાઇ વાયરમેન એકત્રિત થઈ અને અરવલ્લી અધિક કલેકટર જે.વી જગોડા ને આવેદનપત્ર આપ્યું હતું

મૌલાના સાબને ઝડપથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here