નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
છોાઉદેપુરના તેજગઢ ખાતે મદ્રેસા એ ગૌશીયામાં ઇસ્લામિક તાલીમ લેતા બાળકોની વાર્ષિક પ્રતિયોગિતા અને ઈનામી જલશો તાલીમાર્થીઓ ને પ્રોત્સાહન મળી રહે માટે દર વર્ષે યોજવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્ષે પણ તેજગઢ ખાતે કસ્બા ફળિયા માં વાર્ષિક જલશો યોજાયો જેમાં પરીક્ષક તરીકે બોડેલીથી પધરેલા ઇસ્લામિક સ્કોલર ના હસ્તે તેજગઢ ના તાલીમાર્થીઓ ની પરીક્ષા કરી પ્રતિયોગિતા રાખવામાં આવી જેમાં બાળકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યા તાલીમાર્થી બાળકોને તેજગઢ મુસ્લિમ કમિટી દ્વારા વિવિધ પ્રોત્સાહન ઇનામો આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું
આ પ્રસંગે વટવા અમદાવાદ થી પધારેલા સૂફી સંત હજરત સૈયદ અલીરઝા બાવા સાહેબ ની હાજરી અને નીગેહબાની માં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો બાવાસાહેબ દ્વારા ઇસ્લામના સાચા સિદ્ધાંતો ઉપર ચાલવા અને તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુવાઓ કરવામાં આવી.