મોડાસાની ખડાયતા પોલીસ ચોકીમાં મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આવતીકાલે અયોધ્યા માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે

તેને લઈ આજે કડીયાવાડા પાસે આવેલી ખડાયતા પોલીસ ચોકીમાં ડી.વાય.એસ.પી રણજીતસિંહ ડાભીની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોડાસા ટાઉન પી.આઈ ડીકે વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા

આવતીકાલે યોજાનારા ધાર્મિક કાર્યક્રમો ને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો

જેમાં મુસ્લિમ આગેવાનોમાં લાલાભાઇ વાયરમેન. બાબુભાઈ મલેક. શાહિદભાઈ ગોલ્ડી. સાબીરભાઈ ધુલ ધોયા. વાહિદભાઈ તેમજ યુસુફભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here