માંગરોળ ભાજપમાં રાજકીય ભૂકંપ.. અનુસુચિત જાતીના 30 હોદ્દેદારો સહીત અનેક કાર્યકરોએ કામલમને કહ્યું અલવિદા..

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દીવાન(મોરબી) :-

પાલિકાના એક વોર્ડ ની પેટા ચુટણીમા અનુસુચિત મહીલા અનામત સીટ પર દલીત સમાજે સમાજની કારોબારી દ્રારા બીન હરીફ મહીલાની જાહેરાત બાદ ભાજપ દ્રારા આયાતી ઉમેદવારી કરતા ભાજપના સક્રીય સભ્યો સહીત દલીત સમાજમાં રોષ, સમાજમા ભાગલા પાડવા ભાજપ પર કરાયો આક્ષેપ, ચાલુ પાલીકા સભ્ય સહીત ૩૦ કરતા વઘુ લોકોએ ભાજપમાંથી આપ્યા રાજીનામા, શહેર ભાજપ પ્રમુખ નીલેષ સોમૈયા ને આ બાબતે પુછ્તા પાર્ટી નું આદેશ હોય એટલે ઉમેદવારી કરવી પડે તેમ જણાવ્યું અને રાજીનામા મારા સુધી નહીં પહોંચ્યા નું મીડીયાને જણાવ્યું, આમ માંગરોળ પાલિકા પેટા ચુંટણી પહેલા ભાજપ માં ભંગાણ પડ્યો છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here