ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આજે કોરોના સંક્રમણના નવા ૩૬ કેસો નોંધાયા ૭૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
કુલ કેસનો આંક ૯૩૬૩ થયો કોરોનાને પછડાટ આપી ૮૩૮૮ દર્દીઓને સ્વગૃહે પરત ફર્યા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૩૬ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૯૩૬૩ થવા પામી છે. ૭૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ૭૮૯ થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૧૧, હાલોલમાંથી ૦૩ કેસ અને શહેરામાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા ૫૪૪૨ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરાના ગ્રામ્યમાંથી ૦૩ કેસ, હાલોલ ગ્રામ્યમાંથી ૦૪ કેસ, કાલોલ ગ્રામ્યમાંથી ૦૪, મોરવા હડફ ગ્રામ્યમાંથી ૦૫ કેસ, શહેરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા ૩૯૨૧ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૭૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૮૩૮૮ થવા પામી છે.