નર્મદા જીલ્લા વાસીઓ માટે પોઝિટિવ સમાચાર છેલ્લા નવ નવ દિવસોથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આજ પર્યંત જીલ્લામા કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંક 4290 અને મૃત્યુ આંક 153 ઉપર સ્થિર

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૨૫,૧૬૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૩૬ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર

નર્મદા જીલ્લા વાસીઓ માટે પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે , છેલ્લા નવ નવ દિવસ થી એક પણ પોઝિટિવ કેસ સમગ્ર જીલ્લા મા કયાંય નોંધાયો નથી . જીલ્લા ભર મા આજ પરિસ્થિતિ યથાવત રહી તો કોરોના મુકત નિતી નિયમો અનુસાર સમગ્ર જીલ્લા ને ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં.

આજ પર્યંત જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 4290 ઉપર પહોંચ્યો છે જે છેલ્લા નવ નવ દિવસ થી સ્થિર જ છે , જીલ્લા મા કુલ 153 લોકો કોરોના ની ઝપેટમાં આવતા મોતને ભેટ્યા છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૯૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૪૦ સહિત કુલ-૫૩૫ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૪ થી જુલાઇ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૫,૧૬૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૭૧૯૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૧૮૦૩ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here