નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૨(બે) દરદીઓને આજે રજા અપાઇ

આજની સ્થિતિએ હોમ આઇસોલેશનમાં ૦૧ દરદી સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૨૨,૧૪૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૨૧ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૨ દરદીઓને આજે રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ હોમ આઇસોલેશનમા ૦૧ દરદી સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૩૭૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૧૩ સહિત કુલ-૬૮૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૨,૧૪૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૧૬૪૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૬,૬૨૪૭ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here