ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ નગરમાં આવેલ નવાપુરા સ્થિત સૈયદ સહિદ બદરુદ્દીન બાવા જેઓ દાદા પીરથી પણ ઓળખાય છે. 14રજ્જબ ના રોજ તેમનો ઉર્સ આવતો હોય નવાપુરા મસ્તાન યંગ સર્કલ કમિટી દ્વારા બાવાના ઉર્સ નિ તડામાર તૈયારીઓ કરી ઉર્સની ભવ્ય ઉજવણી કરાઇ હતી.
જ્યારે ઉર્સના કાર્યક્રમ અંતર્ગત મસ્તાન યંગ સર્કલ કમિટી દ્વારા રતિબે રિફાઈ નો પ્રોગ્રામ પણ યોજાયો હતો જેમાં રીફાઈ સિલસિલો ધરાવતા સૈયદ ઇસામ બાવાવડોદરા વાળા, સૈયદ આબીદ બાપુ મૌલાના સદ્દામ હુસેન, મોલાના ગુલામ મુસ્તુફા તેમજ સાદાતેકીરામ અને ઉલ્માએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે રીફાઈ નો જલસો પત્યા પછી સૈયદ ઈશામ બાવા દ્વારા સૈયદ સહિદ બદરુદ્દીન બાવાના મજાર પર ફાતિયા ખ્વાની કરી દરેક અકીદત મંદોને લીધે દુઆ કરવામાં આવી હતી સાથે આપણા ભારતભરમાંથી અને પૂરા વિશ્વમાં થી કોરોનાની ગંભીર મહામારી પણ નષ્ટ થાય અને ભારતભરમાં સુખાકારી પર્વતે અને કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ ખાસ દ્વારા ગુજારવામાં આવી હતી.
જ્યારે આ હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન બદરુદ્દીન બાવાના ઉર્સ ના મોકા પર હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.