પાવીજેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી ઠેરઠેર મુસ્લિમ વિસ્તારોમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો બધા ને જન્મદિવસ ની શુભકામના પાઠવવામાં આવી.
મહંમદ પયગંબર સાહેબે બતાવેલ ભાઈચારાના રસ્તા પર ચાલવાનો મૌલવીઓ દ્વારા તકરીર ના મારફતે કહેવામાં આવ્યું તેમજ છોટાઉદેપુર શહેર, બોડેલી શહેર, તથા નસવાડી સંખેડા જેમ ગામોમાં પણ મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની શાંતિપૂર્વક કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી.