જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં હૈદરાબાદના સાંસદ અને AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બૈરિસ્ટર અસ્સદુદીન ઓવૈસીની પાર્ટીની જેતખંભ ઓજી વિસ્તારમાં ગ્રુપ મીટીંગ કરવામા આવી

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન *મોરબી) :-

રાત્રે નવ વાગ્યે રાખવામા આવેલ આ મીટીંગ મા જેતખંભ વિસ્તારના યુવાનો બહોળી સંખ્યાાં માં AIMIM પાર્ટીમા જોડાયા અને પાર્ટીની સાથે રહી લોકહિત ના કામો કરવા કટીબદ્ધ થવા જાહેરાત કરી.
આ મીટીંગમા તમામ વક્તાઓએ પોતાનાં ભાષણમાં અન્યાય સામે લડવા દરેક સમાજ ને સાથે જોડવા પાર્ટી માં કોમી એકતા જાળવી તમામ લોકોએ પાર્ટીનો વ્યાપ વધે તે બાબત ઉપર જોર આપ્યું હતું તેમજ ભ્રષ્ટાચાર સામે લડવા હાકલ કરવામા આવી અને આ પાર્ટી માં નવા ચેહરાઓ ને જોડવા માટે અપીલ કરવામા આવી. અને બધાએ સાથે મળી દરેક સમાજ ના લોકહિત ના કામો કરવા ઉપર જોર દેવામા આવ્યુ.
આ સંમેલનમાં AIMIM ના જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ મહંમદ ભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી યુસુફભાઈ સુલેમાન ભાઈ કરૂડ અને તાલુકા પ્રમુખ ઈશાકભાઈ ખેબર તેમજ નવા વરાએલા AIMIMના તાલુકા અને શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
ખેડૂતોને લગતા પ્રશ્નો માટે AIMIM પાર્ટી દ્વારા કિસાન સેલની રચના કરી અને આ સેલ ના હોદ્દેદારો તરીકે ખેડૂતોને જ લેવા તેવી જાહેરાત પણ AIMIM ના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ કરવામાં આવી તેમજ માંગરોલ શહેર અને તાલુકાને ભાજપ કોંગ્રેસ ની મીલીભગતથી દરેક કામકાજ મા લોકોને કેટલું હેરાન થવું પડે છે તેની વિસ્ત્રુત જાણકારી તમામ વકતાઓ દ્વારા આપવામા આવી. જેતખંભ વિસ્તારના લોકોએ પોતાના અટકી પડેલા કામોની રજુઆતો પણ AIMIM ના હોદ્દેદારો સમક્ષ રાખી. એવું એક અખબારી યાદીમાં AIMIM જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here