કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ પોલીસ મથકે દશેરા પર્વ નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.પી.એસ. આઈ એમ. એલ. ડામોર તથા પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સલામતી અને સુરક્ષા નો સંકલ્પ સાથે શસ્ત્ર પૂજા કરી હતી. કાલોલ ના છત્રીસ પરગણા રાજપુત યુવા સંગઠન દ્વારા દેવચોટીયાં મહારાજ ના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું દર વષે દશેરા પર્વની રાજપુત સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. પરતું હાલ કોરોના મહામારી ના લીધે સમાજ ના યુવા સંગઠન દ્વારા સાદાઈથી તથા સીમિત કારોબારી ના સદસ્યો દ્વારા રાજપૂત યુવા સંગઠન ના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચાવડા તથા મંત્રી ની વિશેષ ઉપસ્થિત માં સમજ નો સ્નેહ મિલન તેમજ શસ્ત્રપુજન કાયૅક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.