કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન
આજ રોજ કાલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ અને મલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર,દેલોલ , ડેરોલગામ, જંત્રાલ, સણસોલી ખાતે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણ અંતર્ગત 60 વર્ષ થી ઉપર ના 167 વ્યક્તિ તથા 45 થી 59 વર્ષ ના 14 કોમોરબીટ વ્યક્તિ ને કોરોના ની રસી સફળતા પૂર્વક આપવામાં આવેલ છે અને કોઇને અત્યાર સુધી આડ અસર થયેલ નથી આ રસી સરકારી દવાખાનામાં વિના મૂલ્યે આપવામાં આવે છે અને સુરક્ષિત છે તો કાલોલ તાલુકાની જનતા એ રસી મૂકાવી કોરોના સામે ની લડતમાં સાથ આપવા નમ્ર અપીલ કરી.