કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે પ્લોટ વિસ્તારમાં સુજલામ સુફલામ્ યોજના હેઠળ ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા ના વરદહસ્તે ખાતમુહુર્ત કરાયું હતું જેમાં કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂત તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ.ઇશુભા વાઘેલા. અમીભાઈ દેસાઇ. વિજુભા વાઘેલા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી ને ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો ત્યારબાદ કુવારવા રાજવિધ્યા આશ્રમ માં સભા યોજાઈ હતી જેમાં ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતુ અને ગામ લોકોએ સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો..