અમદાવાદ, જયેશ માંડવીયા (રાજકોટ) :-
અમદાવાદ ખાતે તેજેન્દ્ર પ્રકાશ સોસાયટીમાં એક સાથે બે અંતિમયાત્રા નીકળતા શોકમય દરેક નાં આંખ માંથી અશ્રુ વહેવા લાગી હતી સમાજસેવા સેવાઓ સાથે સંકળાયેલા શ્રી આશિત પાન્ડે જી અને શ્રી શાહુ સુરેન્દ્રભાઈ ની અચાનક અનંત ની વાટ પકડતાં સહુ મિત્રો પરિવાર જનો આધાત માં આવી ગયા હતા
હોલી ધુળેટી પર્વ નિમિત્તે ઉજ્જૈન ખાતે દર્શન કરવા નીકળ્યા ત્રણ જીગરજાન મિત્રો ને અચાનક કોઈ અબોલ જીવ આવતાં એ જીવ ને બચાવવા જતાં ગાંડી પલ્ટી મારી જતા આશિત પાન્ડે જી સ્પોટ પર જ ડેથ થયું શાહુ સુરેન્દ્રભાઈ ને દવાખાને ખસેડવામાં આવ્યા હતા ને રસ્તા જ ડેથ થયું હતું એક ભાઈ સારવાર હેઠળ છે.
આ રંગો નાં તહેવાર માં બે પરિવારો માં બે રંગી જેવો માહોલ સર્જાયો હતો શાહુ સુરેન્દ્રભાઈ નાં એકાદ વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં નાની બેબી છે આશિત પાન્ડે જી ને બે બાળકો છે બન્ને પરિવાર નો મોભી ગુમાવતાં બાળકો પિતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી.
શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર નાં મોભી એવા હંમેશા લોકો ની મદદ કરતાં સહુ ગરિબ પરિવાર ની વારે આવતાં શ્રી ટ્રસ્ટી આશિત પાન્ડે જી નાં આકસ્મીક સમાચાર મલતા સહુ મિત્રો આધાત માં આવી ગયા હતા.