જૂનાગઢ,
પ્રતિનિધિ :- આશિક પઠાણ (રાજપીપળા)
99 વર્ષનાં પૂર્વ ધારાસભ્ય એવા રત્નાજી ઠુમરે રાહતનિધિ ફંડમાં 51000 રૂપિયા આપ્યા
ધારાસભ્ય હતા ત્યારે પગાર નાં લીધું અને હાલ પેન્સન પણ લેતા નથી
પ્રાગણ છે જૂનાગઢ કલેકટર કચેરીનો એક વયોવૃદ્ધ ડોહા લાકડીના સહારે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે ડોહાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ ના કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે, લોકોને આજે આપણે મદદરૂપ થવાનો સમય છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000 રૂપિયાનો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું. તું સાહેબને મળવા દે તો તારી મહેરબાની ભાઇ… આવું આજીજી અને નમ્ર ભાવે કહેનાર ડોહાનું નામ છે રત્નાભાઇ મનજી ભાઇ ઠુંમ્મર તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.અને આજના આપણા એમ. પી. અને એમ. એલ. એ. હવાઈ જહાજોમાં મહાલતા જોવા મળે છે.
ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.
51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, ‘સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.’
ભારત મહાન છે કારણકે ભારત પાસે રત્નાબાપા જેવા મુઠ્ઠી ઊંચેરા માણસો પણ છે.આવા ખરા દેશ ભક્તો પાસેથી આજના મોંઘીદાટ લકઝરીયસ કારોમાં ફરનારા આપડા સેવકોએ બોધપાઠ લેવાની તાંતી જરૂર છે.