વિરમગામ Dysp પી.ડી મણવર અને PI એચ બી ગોહેલની સાથે મુસ્લીમ સમાજના આગેવાનોની મિટિંગ

વિરમગામ Dysp પી.ડી મણવર સાહેબ અને PI એક બી ગોહેલ સાહેબની અધ્યક્ષતામાં મુસ્લીમ સમાજના આગેવાનો સાથે મિટિંગનુ આયોજન.
વિરમગામ Dysp પી.ડી મણવર સાહેબ અને PI એક બી ગોહેલ સાહેબની અધ્યક્ષતામાં મુસ્લીમ સમાજના આગેવાનો સાથે મિટિંગનુ આયોજન થયું તેની તસ્વીર

વિરમગામ(અમદાવાદ)
મુન્ના વ્હોરા

હાલ સમગ્ર દેશ અને રાજયમા કોરોનાની માહમારી ચાલી રહી છે ત્યારે દરેક તહેવારોની પરંપરા બિલકુલ ફીકી પડી રહી છે ત્યારે આવનાર બકરા ઇદના તહેવારને લઇને વિરમગામ ઘાંચી જમાતના હોલ ખાતે વિરમગામ Dysp પી.ડી મણવર સાહેબ અને PI એચ બી ગોહેલ સાહેબની અધ્યક્ષતામા મુસ્લીમ સમાજના આગેવાનો તથા મૌલાના સાહબ સાથે એક મિટિંગનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બકરા ઇદના દીવસે નમાઝ અદા કરવા માટે અને દરેક મસ્જીદમાં નમાઝીભાઇઓ માસ્ક પહેરીને આવે અને સામાજીક અંતરનુ પાલન કરે તથા સાથે સાથે સેનેટેરાઇઝરનો પણ ઉપયોગ કરે અને રોડ રસ્તાઓ ઉપર કે મસ્જીદના બહાર લોકો ભેગા ના થાય ઉમરલાયક માણસો તથા નાના બાળકો ઘરમા રહે અને સુરક્ષિત રહે તેવા સુચનો કરવામા આવ્યા હતા. જેને લઇને મુસ્લીમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે આ સુચનાઓનું અમે સમાજના લોકોને ચુસ્ત પાલન કરાવીશુ અને અમે હંમેશા સરકારના સાથે કદમથી કદમ મિલાવીને ચાલીશુ તેવી બાહેધારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here