પંચમહાલ જિલ્લામાં આજે નવા ૧૯ કેસો પોઝિટિવ સાથે કોરોના સંક્રમણના કુલ કેસનો આંક ૪૫૨ થયો

આજે ૧૫ દર્દીઓને રજા સાથે કુલ ૨૭૯ દર્દીઓ રિકવર થયા, હાલની સ્થિતિએ ૧૪૦ સક્રિય કેસો

ગોધરા(પંચમહાલ) તા.28/07/2020

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૧૯ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૪૫૨ થવા પામી છે. નવા મળી આવેલા ૧૨ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૪ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૫ અને કાલોલમાંથી ૨ કેસ અને હાલોલમાંથી ૭ કેસો મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૨, શહેરા ગ્રામ્યમાંથી ૧, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૧ અને હાલોલ ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૭૯ દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૪૦ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં હજી સુધી ૩૭૨ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ કેસો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here