હાથરસમાં બનેલી ઘટના મામલે શહેરામાં વાલ્મિકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના હાથરસની બનેલી ઘટના ને લઈને સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો જોવા મળે છે અને ઠેરઠેર દોષિતોની ધરપકડ કરી સજા અપાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ હાથરસમાં બનેલી ઘટના મામલે આજરોજ વાલ્મિકી સમાજ દ્વારા શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાથરસ જિલ્લાના ભુલઘડી ગામની વાલ્મિકી સમાજની દીકરી સાથે સામુહિક બળાત્કાર ગુજારનાર દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ તેમની સામે એટ્રોસિટી એક્ટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવો આવેદનપત્ર ઉલ્લેખ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here