વડોદરા,
મુસ્તુફા મિરઝા,(કાલોલ)
ખાનકાહે એહલ સુન્નતના ઉપક્રમે દર વર્ષે અઝરત અઝીમે મિલ્લત (રહે.)ની સાલગીરાહ નિમિત્તે વડોદરા ખાતે મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી હોય ખાનકાહે એહલે સુન્નતના હાલના સાહેબે સજ્જાદા નશીન(ગાદીપતિ) હઝરત પીર સૈયદ મોઇનુદ્દીન કાદરી સાહેબના સુચન મુજબ ખાનકાહની અઝીમી ઓડિયો ચેનલ પર ઓનલાઇન ઇન્ટરનેશનલ મુશાયરાનો આયોજન તારીખ ૨/૧૦/૨૦૨૦/શુક્રવારે રાત્રે ૧૦:૦૦ પ્રસારિત કરવામાં આવ્યું હતું જેમાં જીદ્દા, આફ્રિકા, કરાચી, ઝિમ્બાબ્વે, નેપાળ ઉપરાંત ભારત દેશના વિવિધ શહેરોના એહલે સુન્નત વલ જમાતના શાયરો પોતાના અનોખા અંદાજમાં કલામ રજૂ કર્યા હતા. જેમાં કાલોલ હાલોલ, સાવલી, ગોધરા જેવા ગામો માં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ ઓનલાઇન અઝીમી ઓડિયો ચેનલ પર પ્રસારિત મુશાયરાનું પોતપોતાના ઘરે નિહાળી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.