પંચમહાલ જિલ્લા રોજગાર અધિકારીને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ માનનીય રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમાં ખાસ કરીને રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ ધ્વારા કરવામાં આવી રહેલ કામગીરી ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ આખા દેશ માટે આદર્શ ઉદાહરણ રૂપ બની છે, ત્યારે તેની પ્રશંસા કરતા ભારત દેશ ના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ધ્વારા પંચમહાલ ના રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ ને સર્વશ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારી તરીકે નું બિરુદધ આપી રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરેલ છે.

વર્ષ 2019 માં પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ 3 રોજગાર મેળા યોજવામાં આવેલ હતા જેમાં કુલ 249 દિવ્યાંગ ઉમેદવારો એ નોકરી માટે ભાગ લીધો હતો, જેમાંથી 84 દિવ્યાંગ ઉમેદવારો એ પોતાની આજીવિકા મેળવી હતી.

પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી એ રાષ્ટ્રીય સ્તરે પંચમહાલ જિલ્લા નું નામ રોશન કર્યું છે, જે જિલ્લા ના તમામ લોકો માટે ગર્વ લેવાની બાબત બની ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here